
જો તમે તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોવ, બિલકુલ જોખમ લેવા ન માંગતા હોવ અને એવું ઈચ્છતા હોવ કે દર મહિને ચોક્કસ આવક આવતી રહે, તો તમારા માટે પોસ્ટ ઓફિસની Monthly Income Scheme (MIS) સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
સૌથી મોટી ખાસિયત એ છે કે પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે, કારણ કે આ યોજનાનું સંચાલન સીધું ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. બેંક કે શેરબજારના ચડાવ-ઉતારની આ સ્કીમ પર કોઈ અસર થતી નથી.
માટે આજે જે પણ લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખી અને એક નિયમિત આવક મેળવવા માગતા હોય છે તો પોસ્ટ ઓફિસની MIS મંથલી ઇન્કમ સ્કીમ પસંદ કરે છે MIS સ્કીમ એવા લોકો માટે છે દર મહિને એક પગારની જેમ તમારા ખાતામાં પૈસા જમા કરાવવા માગતા હોય એમાં તમે જેટલા પૈસા રોકાણ કરશો એ પ્રમાણે દર મહિને તમારા ખાતામાં પૈસા જમા થશે.
તો આજે આપણે પોસ્ટ ઓફિસની Monthly Income Scheme (MIS)વિશે તમામ માહિતી જાણીશું
આ યોજના એક બચત યોજના છે જેમાં તમે એક જ વખત પૈસાનો રોકાણ કરી અને હર મહિને ફિક્સ રકમ મેળવી શકો
આ સ્કીમની મુખ્ય વિશેષતાઓ
- સુરક્ષા :- આ સ્કીમ માં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે કારણ કે આ સ્કીમ નો મેનેજ ખુદ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર કરે છે
- મુદત :- આ સ્કીમ માં રોકાણ કરવા માટેનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષ પછી તમને મૂળ રકમ મળી જાય છે
- રીન્યુ :- 5 વર્ષ પછી રીન્યુ કરાવવી હોય તો તમારે ફરીથી નવું એકાઉન્ટ ખોલાવવું પડે
- ખાતાના પ્રકારો : આ સ્કીમમાં વ્યક્તિગત તમે સિંગલ ખાતું ખોલાવી શકો, અને જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો જોઈન્ટ ખાતામાં વધારેમાં વધારે ત્રણ વ્યક્તિઓ ખોલાવી શકે છે સાથે
ઓછામાં ઓછું અને વધારે માં વધારે કેટલું રોકાણ કરી શકો ?
- MIS સ્કીમ માં જો વ્યક્તિગત સિંગલ ખાતું હોય તો ઓછામાં ઓછું ₹1,000 રૂપિયાનું રોકાણ કરી શકો વધારામાં વધારે ₹9 લાખ.રૂપિયા નું રોકાણ કરી શકે
- જો તમારું એકથી વધારે વ્યક્તિનું જોઈન્ટ ખાતું હોય તો તમે વધારેમાં વધારે ₹15 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકો છો.
MIS સ્કીમ માંથી વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં
પાંચ વર્ષ પૈસા જમા રાખવાનો નિયમ છે પરંતુ પાંચ વર્ષ પહેલા તમારે પૈસા ઉપાડવા હોય તેની અમુક પેનલ્ટી વર્ષ આપવી પડે
- ઓછામાં ઓછાં એક વર્ષ પૈસા જમા રાખવા પડે
- 1 થી 3 વર્ષ ની અંદર પૈસા ઉપાડો તો 2% મૂળ રકમ માંથી કપાઈ જશે
- દા.ત તમે ₹1 લાખ નું રોકાણ કર્યું હોઈ તો ₹2000 કપાઈ જાય
- 3 થી 5 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો તો 1% ચાર્જ લાગશે
- દા.ત તમે ₹1 લાખ નું રોકાણ કર્યું હોઈ તો ₹1000 કપાઈ જાય
ટેક્સનો ફાયદો શું મળશે ?
- સેકશન 80C હેઠળ પોસ્ટ ઓફિસ MIS સ્કીમ માં ટેકસ બેનિફિટ નથી મળતો
- તમને દર મહિને મળતું વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે
- TDS ની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની MIS સ્કીમ માં TDS કપાતું નથી પરંતુ રોકાણકારે રિટર્ન ફાઇલ સમયે આવક બતાવવી પડે છે.
- તમારી કુલ વાર્ષિક આવક જો ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર મર્યાદાથી વધુ હોય, તો તમારે તેના પર ટેક્સ ભરવો પડે છે.
રોકાણ મુજબ માસિક વ્યાજની ગણતરી અંદાજિત (એપ્રિલ-જૂન ૨૦૨૬ ના ક્વાર્ટર મુજબ),
| કુલ રોકાણ રકમ | દર મહિને મળતું વ્યાજ | વાર્ષિક વ્યાજ 7.4% | 5 વર્ષે કુલ વ્યાજ |
|---|---|---|---|
| ₹1,00000 | ₹617 | ₹7,400 | ₹37,020 |
| ₹2,00000 | ₹1233 | ₹14,800 | ₹74,000 |
| ₹3,00000 | ₹1850 | ₹22,200 | ₹1,11,000 |
| ₹4,00000 | ₹2467 | ₹29,613 | ₹1,48,000 |
| ₹5,00000 | ₹3083 | ₹37,000 | ₹1,85,000 |
| ₹9,00000 | ₹5550 | ₹66,600 | ₹3,33,000 |
| ₹15,00000 | ₹9,250 | ₹1,11,000 | ₹5,55,000 |
ખાતુ કોણ કોણ ખોલાવી શકે છે ?
- ભારતનો કોઈ પણ નાગરિક ખાતું ખોલાવી શકે છે
- NRI (વિદેશી ભારતીય)આમા ખાતું ખોલાવી ના શકે
- બાળક થી લઇ મોટા કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકો
- બાળકની ઉંમર 10 વર્ષથી ઉપર હોઈ તે ખાતું ખોલાવી શકો
- સંયુક્ત ખાતું ખોલાવી શકો વધારે માં વધારે 3 વ્યક્તિ ખોલાવી શકે.
MIS માં ખાતુ ખોલવા જરૂરી ડોક્યુમેન્ટ ?
- (૧) આધારકાર્ડ
- (૨) પાનકાર્ડ
- (૩) પાસપોર્ટ 2 ફોટો
- (૪) રેશન કાર્ડ અથવા અન્ય સરનામાનો પુરાવો
- (૫) બેંક પાસબુક (ફોટા સાથે)

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…